વાંકાનેર: ચંદ્રપુર પાસે ડીવાઇડરમાંથી બાઈક કાઢતા પડી જવાથી આધેડનું મોત
વાંકાનેર : વાંકાનેર હાઇવે ઉપર ચંદ્રપુર નજીક તૂટેલા ડિવાઈડરમાંથી બાઈક પસાર કરી રસ્તો ક્રોસ કરવા જતાં પડી ગયેલા આધેડનું હેમરેજ જેવી ઇજા થવાથી મૃત્યુ નીપજ્યું હતું.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર ભાટિયા સોસાયટીમાં રહેતા હસનભાઈ રસુલભાઈ ખલીફા, ઉ.વ.-૫૦ નામના આધેડ ગઈકાલે તેમના પુત્રને મૂકી ચંદ્રપુર તરફ જતા હતા ત્યારે હાઇવે ઉપર તૂટેલા ડિવાઈડરમાંથી બાઈક પસાર કરી રસ્તો ઓળંગવા જતા મોટર સાયકલ ઉપરથી પડી જતા હેમરેજ જેવી ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પુત્ર મુનાફભાઈ હસનભાઈ ખલીફાની ફરિયાદના આધારે પોલીસે ગફલત ભરી રીતે મોટર સાયકલ ચલાવવા બદલ હસનભાઈ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)