skip to content

શિક્ષક દંપતિએ  પિતૃશ્રાદ્ધની અનોખી રીતે ઉજવણી કરી.

વાંકાનેર: શિક્ષક દંપતિએ પોતાના દાદાજી ના શ્રાદ્ધની અલગ રીતે ઉજવણી કરી. વાંકાનેર તાલુકાના રાણેકપર પ્રાથમિક શાળામાં નોકરી કરતા કુબાવત નરેન્દ્રભાઈ અને મેઘપર ઝાલા પ્રાથમિક શાળામાં નોકરી કરતા જાનકીબેન કુબાવત એ પોતાના દાદા શ્રાદ્ધ નિમિત્તે રાણેકપર શાળાના બાળકોને પેડ અને પાટી આપી ઉજવણી કરી.જે તેને ભણવામાં મદદરૂપ થઈ શકે.આમ તો દર વર્ષે ભાદરવા મહિનામાં શ્રાદ્ધ નિમિત્તે શાળામાં બાળકોને બિસ્કીટ અને પડીકાઓ અપાય છે જેથી બાળકોનું સ્વાસ્થ્ય બગડે છે આ માટે આ શિક્ષક દંપતિએ અલગ વિચાર દ્વારા બાળકોના અને અન્ય લોકોનું ધ્યાન ખેંચ્યું.

આ સમાચારને શેર કરો