skip to content

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ શિષ્યવૃત્તિ પરીક્ષામાં લખધીરગઢના વિધાર્થીએ જિલ્લામાં દ્વિતીય સ્થાન મેળવ્યું

લખધીરગઢ પ્રાથમિક શાળાનો સ્પર્ધાત્મક પરીક્ષામાં ફરી એકવાર ડંકો વાગ્યો. મુખ્ય મંત્રી જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ પરીક્ષા 2023 ના મેરીટ લિસ્ટમાં ભોજાણી ઋચા પંકજભાઈ સમગ્ર જિલ્લામાં દ્વિતીય.

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ શિષ્યવૃત્તિ 2023 ના મેરીટ લિસ્ટમાં લખધીરગઢ પ્રાથમિક શાળાના અન્ય 8 વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થયેલ છે. જેમાં અનુક્રમે પનારા રાધે, કાસુન્દ્રા પ્રણય, પનારા જેનીલ, ચૌધરી રુદ્ર, ભાગિયા માન, કકાસણિયા નવ્યા, પરમાર અવિનાશ, પરમાર પિનલનો સમાવેશ થાય છે. આ સૌ તેજસ્વી તારલાઓને લખધીરગઢ પ્રાથમિક શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.

આ સમાચારને શેર કરો