ભારે કરી:હળવદ પંથકમાં તસ્કરો 11 કેવીની હેવી વીજ લાઇનના તાર ઉતારીને લઇ ગયા !!
હળવદ પથંકના મયાપુર ગામના ઇલેવન કેવીના નવ ગાળા સુધીના વાયરની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. રાત્રે પાવર બંધ કરીને અજાણ્યા શખ્સો વાયર ચોરી ગયા હતા. આ બનાવની પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ ચોરી અંગેના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મિયાણી સબ સ્ટેશનમાંથી આવતા ખોડ જ્યોતિગ્રામ યોજનામાં આવેલી મયાપુર ગામના ઇલેવન કેવીના નવ ગાળા સુધીનો વાયર રાત્રીના સમયે અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા અને માયાપુર ગામને રાતના સમયે લગભગ 3 કલાક સુધી પાવર બંધ કરીને ચોર ચોરી કરી ગયા હતા. આ બનાવથી ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ બનાવની પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે પોલીસ આ વિસ્તારમાં ચોરીના બનાવને લઈને નાઈટ પટ્રોલીગ વધારી તસ્કરો સામે કાર્યવાહી કરે તેવી પણ વ્યાપક માંગ ઉઠી છે.