skip to content

પ્રેરણાદાયી શરૂઆત: લગ્નના ચાંદલામાં આવતા તમામ રૂપિયા હોસ્પિટલમાં અર્પણ કરશે.

ભાવનગર: આજરોજ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ભાલવાવ ગામના વતની જેરામભાઈ દિયાળભાઈ અણઘણના સુપુત્ર પ્રતીકના લગ્ન પ્રસંગે યોજાયો હતો.

જેરામભાઈ અણઘણે પોતાના દીકરાના લગ્ન પ્રસંગે ખુબ સરસ વિચાર સમાજ સમક્ષ મૂક્યો છે કે, તેઓને લગ્ન પ્રસંગમાં ઉઘરાવવામાં આવતા ચાંદલામાં જેટલા રૂપિયા ભેગા થશે એ રૂપિયા ટીમ્બી ગામની નિર્દોષાનંદ હોસ્પિટલમાં અર્પણ કરશે જેથી નાના માણસને હોસ્પિટલના ખર્ચ માટે ઉપયોગી થઈ શકાય.

આ લગ્ન પ્રસંગમાં આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલીયાએ પણ હાજરી આપી હતી, તેમને આ મેસેજ તેમના fb પર શેર કર્યો હતો અને લખ્યું હતું કે આ ખુબ સારી પ્રેરણાદાયી શરૂઆત માટે જેરામભાઈને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું.

આ સમાચારને શેર કરો