skip to content

વાંકાનેર: સરતાનપરમા કારખાનામાં લેબર કોલોનીમા ગળોફાંસો ખાઈ શ્રમિકનો આપઘાત

વાંકાનેર તાલુકાના સરતાનપર નજીક આવેલ મોટો સ્લીમ કારખાનામાં લેબર કોલોનીમા રહેતા મૂળ ઉત્તરપ્રદેશના શ્રમિક યુવાન અંકુશ નંદકિશોર ઉ.25 નામના યુવાને અગમ્ય કારણોસર પોતાના રૂમમાં પ્લાસ્ટિકની દોરી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો