વાંકાનેર: રાતીદેવળી ગામના પ્રૌઢનું બીમારી સબબ મોત.
વાંકાનેરમાં રાતીદેવળી ગામે બીમારી સબબ પ્રૌઢનું મોત થયું છે. આ મામલે વાંકાનેર સીટી પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના રાતીદેવળી ગામે રહેતા ૫૪ વર્ષીય પ્રવિણભાઇ ચતુરભાઇ વોરાને પેટમા પાણી ભરાઇ જતું હતુ. જેથી તેમને સરકારી હોસ્પિટલમાં બીમારી સબબ સારવાર અર્થે દાખલ થયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.આ અંગે વાંકાનેર સીટી પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.