Placeholder canvas

ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે? અંબાલાલ પટેલે શુ કહે છે? જાણવા વાંચો.

કેરળમાં આ વર્ષે 27મી મેની આસપાસ નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ શકે છે. સામાન્ય રીતે કેરળમાં વરસાદ બાદ મુંબઈ અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થતું હોય છે. આ વખતે હવામાન વિભાગે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની આશા વ્યક્ત કરી છે. જ્યારે બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને આગાહી કરી છે. તેમના કહેવા પ્રમાણે ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે તે રોહિણી નક્ષત્ર પરથી ખબર પડશે.

અંબાલાલ પટેલનું શુ કહેવુ છે ?
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, “આ વર્ષે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડશે. મુંબઈમાં 10મી જૂન સુધી ચોમાસાનું આગમન થઈ જશે. બીજી તરફ 15 જૂન સુધીમાં સુરતની આસપાસ ચોમાસાનું આગમન થઈ જશે. 20મી જૂન સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. સામાન્ય રીતે રોહિણી નક્ષત્ર વરસાદ અંગે સૂચન કરતું હોય છે. આ વર્ષે ચોમાસું કેવું રહેશે તે રોહિણી નક્ષત્ર પરથી ખબર પડશે.”

કેરળમાં ચોમાસાનું આગમન ક્યારે?
અંદાજ પ્રમાણે કેરળમાં 27મી મેથી પહેલી જૂનના રોજ નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ શકે છે. કેરળમાં વરસાદના આગમન બાદ સામાન્ય રીતે 15-20 દિવસમાં ગુજરાતમાં પણ વરસાદનું આગમન થતું હોય છે. આ વર્ષે પણ દેશમાં ચોમાસું સામાન્ય રહેશે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતથી ચોમાસાનું આગમન થતું હોય છે. દક્ષિણમાં વરસાદના આગમન બાદ ચારથી પાંચ દિવસમાં રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદ પડતો હોય છે.

આ સમાચારને શેર કરો