વાંકાનેરમાં બે અલગ અલગ વીજશોકની ઘટનામાં બે યુવાનોના મોત
વાંકાનેર : વાંકાનેર પંથકમાં બે અલગ અલગ વિસ્તારમાં વિજશોકની ઘટના ઘટી હતી જેમાં બેના મોત થયાની ઘટના સામે આવી છે. એક વાડી વિસ્તારમાં અને બીજો ખાનગી કંપનીમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા બે વ્યક્તિના મોત થયા હતા. આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ભોજપરામાં રહેતા અરવિંદભાઇ પાલાભાઇ પટેલ (ઉ.વ.૩૩) ને ગઈકાલે ભોજપરા વાડીયે ઇલેક્ટ્રીક શોર્ટ લાંગતા તેમનું મોત નીપજ્યું હતું. બાદમાં તેમના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
જ્યારે બીજા એક બનાવમાં વાંકાનેરના ભલગામ પાસે આવેલ વેંટો ફાર્મા પ્રાઇવેટ લીમીટેડમાં કામ કરતા પ્રકાશકુમાર નેશાદ (ઉ.વ.-૨૨ રહે.ભલગામ તા.વાંકાનેર જે.મોરબી) ને ગઈકાલે કામકાજ દરમિયાન વિજ કરંટ લાગતા તેમને ચોટીલાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બન્ને બનાવમાં વાંકાનેર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.