Placeholder canvas

9મી બેઠક નિષ્ફળ: ખેડૂતોએ ‘મરીશું કે જીતીશું’ લખેલ પોસ્ટર દેખાડ્યું

ખેડૂતોએ સરકારને કહ્યું- ઉકેલ લાવવાની તમારી ઈચ્છા જ નથી

સરકારની સાથે ખેડૂતોની 9માં તબક્કાની વાતચીત પણ પરિણામ વગર જ પૂર્ણ થઈ ગઈ છે. ખેડૂતોએ કડક અંદાજમાં સરકારને કહ્યું કે તેમે ઉકેલ લાવવા જ નથી માગતા. જો એવું છે તો અમને લખીને જણાવી દો, અમે જતા રહિશું. આ બેઠકમાં ખેડૂતો પોસ્ટર લગાવીને બેઠા હતા. જેના પર લખ્યું હતું- મરીશું કે જીતીશું. ખેડૂતો અને સરકાર વચ્ચે આગામી બેઠક 15 જાન્યુઆરીએ મળશે.

ખેડૂત નેતા બલવીર રાજેવાલે મંત્રીઓને કહ્યું, “તમે જિદ પર છો. તમે તમારા સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરીને લગાવી દેશો. અધિકારીઓ કોઈને કોઈ લોજિક આપતા રહેશો. અમારી પાસે પણ લિસ્ટ છે. બાદમાં નિર્ણય તમારો જ છે. કેમકે તમે સરકાર છો. જેમની પાસે તાકાત છે, તેની વાત વધુ હોય છે. આટલાં દિવસોમાં વારંવાર કેટકેટલી ચર્ચા થઈ રહિ છે. એવું લાગે છે કે આ વાતના ઉકેલ લાવવાનું તમારું મન જ નથી. તો સમય શા માટે બગાડી રહ્યાં છો. તમે સ્પષ્ટ શબ્દોમાં લખીને આપી દો, તો અમે જતા રહિશું.”

ખેડૂતોના જણાવ્યા મુજબ, જ્યાં સુધી કાયદો પાછો નહીં લેવાય ત્યાં સુધી અમે અહીંથી હટીશું નહીં. આ વખતે પણ ખેડૂતોનું સ્ટેન્ડ ક્લીઅર છે. તેમનું કહેવું છે કે ત્રણ ખેડૂત કાયદા રદ કરવામાં આવે અને MSP પર અલગ કાયદો બને. આ પહેલા ગુરુવારે ખેડૂતોએ દિલ્હીને ચારેય બાજુ ટ્રેક્ટર માર્ચ કાઢીને શક્તિ દેખાડી હતી.

સરકારનો કાયદો પરત ખેંચવાનો ઈનકાર
આંદોલનના 44માં દિવસે સરકાર અને ખેડૂત વચ્ચે વિજ્ઞાન ભવનમાં વાતચીત ચાલી થઈ હતી. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, રેલવે મંત્રી પીયૂષ ગોયલ અને વાણીજ્ય રાજ્ય મંત્રી સોમ પ્રકાશની સામે ખેડૂતોએ કૃષિ કાયદા રદ કરવાની માગ ફરી રાખી હતી, પરંતુ કૃષિ મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં તેનો ઈનકાર કરી દિધો હતો.

રાજ્યો પર છોડવામાં આવી શકે છે કાયદો લાગૂ કરવાનો નિર્ણય
કૃષિ કાયદાને લાગૂ કરવાનો નિર્ણય કેન્દ્ર હવે રાજ્યો સરકાર પર છોડી શકે છે. ડેરા નાનકસરના મુખી બાબા લક્ખા સિંહે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે ગુરુવારે એક મીડિએટર તરીકે મુલાકાત કરી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય મંત્રીએ બાબ લક્ખા સિંહને જણાવ્યું કે, સરકાર હવે એક પ્રસ્તાવ તૈયાર કરી રહી છે, જેમાં રાજ્ય સરકારને કૃષિ કાયદો લાગૂ કરવા અથવા ન કરવાની છૂટ આપવામાં આવશે.

છેલ્લી 9માંથી 1 બેઠકનું પરિણામ આવ્યું
(1)-14 ઓક્ટોબર :- મીટિંગમાં કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરની જગ્યાએ કૃષિસચિવ આવ્યા. ખેડૂત સંગઠનોએ મીટિંગનો બોયકોટ કર્યો. તેઓ કૃષિમંત્રી સાથે જ વાત કરવા માગતા હતા.

(2) -13 નવેમ્બર :- કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને રેલવેમંત્રી પીયૂષ ગોયલે ખેડૂત સંગઠનો સાથે મીટિંગ કરી. 7 કલાક વાતચીત ચાલી, પણ એનું કોઈ પરિણામ ન આવ્યું

(3) -1લી ડિસેમ્બર :- ત્રણ કલાક વાત થઈ. સરકારે એક્સપર્ટ કમિટી બનાવવાનું સૂચન આપ્યું, પણ ખેડૂત સંગઠન ત્રણ કાયદાને રદ કરવાની માગ પર અડગ છે.

(4) -3 ડિસેમ્બર :- સાડાસાત કલાકની વાતચીત થઈ. સરકારે વાયદો કર્યો કે એમએસપી સાથે કોઈ ચેડાં કરવામાં નહીં આવે. ખેડૂતોનું કહેવું હતું કે સરકારે એમએસપી પર ગેરંટી આપવાની સાથે સાથે ત્રણ કાયદા પણ રદ કરે.

(5) – 5 ડિસેમ્બર :- સરકાર એમએસપી પર લેખિત ગેરંટી આપવા માટે તૈયાર, પણ ખેડૂતોએ સ્પષ્ટ કહ્યું, કાયદો રદ કરવા અંગે સરકાર હા કે નામાં જવાબ આપે.

(6) -8 ડિસેમ્બર :- ભારત બંધના દિવસે જ ગૃહમંત્રી અમિત શાહે બેઠક કરી. અગાઉના દિવસે સરકારે 22 પેજનો પ્રસ્તાવ આપ્યો, પણ ખેડૂત સંગઠને નકારી દીધો.

(7) -30 ડિસેમ્બર:- નરેન્દ્ર સિંહ તોમર અને પીયૂષ ગોયલે ખેડૂત સંગઠનોના 40 પ્રતિનિધિ સાથે બેઠક કરી. બે મુદ્દા પર મતભેદ યથાવત્, પણ બે માટે રાજી થઈ ગયા.

(8) -4 જાન્યુઆરી :- 4 કલાક ચાલેલી બેઠકમાં ખેડૂત કાયદો પાછો લેવાની માગ પર અડગ. મીટિંગ ખતમ થયા પછી કૃષિ મંત્રીએ કહ્યું તાળી બન્ને હાથેથી વાગે છે.

(9) -8 જાન્યુઆરી:- 4 કલાક ચાલેલી બેઠકમાં સરકારની સાથે ખેડૂતોની 9માં તબક્કાની વાતચીત પણ પરિણામ વગર જ પૂર્ણ થઈ ગઈ છે. ખેડૂતોએ કડક અંદાજમાં સરકારને કહ્યું કે તેમે ઉકેલ લાવવા જ નથી માગતા. જો એવું છે તો અમને લખીને જણાવી દો, અમે જતા રહિશું. 

પંજાબ ભાજપના નેતા અમિત શાહને મળ્યા
પંજાબમાં ભાજપ નેતાઓના ઘેરાવ અને હુમલા અંગે પૂર્વ મંત્રી સુરજીત સિંહ જ્યાણી અને હરજીત સિંહ ગ્રેવાલે ગુરુવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી બગડતી કાયદા વ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરી. પહેલા રાજ્ય ભાજપ અધ્યક્ષ અશ્વિની શર્મા પર હુમલો થયો, પછી પૂર્વ મંત્રી તીક્ષ્ણ સૂદના ઘરે લોકોએ ટ્રોલી ભરીને છાણ ફેક્યું હતું.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IS3ejkRhHHm0EZHg22l5RY

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો