Placeholder canvas

9,46,528ને એલ.આર.ડી.ની નોકરી જોઈએ છે.જ્યારે જગ્યા છે માત્ર 10,459 !!!

એલ.આર.ડી ની 10,459 જગ્યા સામે 6,91,190 પુરુષ અને 2,54,338 મહિલા ઉમેદવારોએ અરજી કરી: આગામી 1 થી 10 ડિસેમ્બર સુધીમાં પ્રથમ ફિઝિકલ ટેસ્ટ લેવાશે: ભરતી બોર્ડનાં અધ્યક્ષ હસમુખ પટેલે ટવીટ કરી જાણકારી આપી.

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળની કુલ 10,459 જગ્યા માટે ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી હતી. . જેમાં ફોર્મ ભરવાનો સોમવારે અંતિમ દિવસ હતો. ગઈકાલે રાત્રે એટલે કે 9 નવેમ્બર 2021ની રાત્રિના 12 વાગ્યા સુધી ફોર્મ સ્વીકરવામાં આવ્યા હતા. જેમાં કુલ 9,46,528 ઉમેદવારોની અરજી ક્ધફોર્મ થઈ છે. અરજીની અંતિમ તારીખે 86,188 અરજી આવી હતી.ઉમેદવારો માટે ફી ભરવાની છેલ્લી તારીખ 12 નવેમ્બર છે. ભરતી બોર્ડનાં અધ્યક્ષ હસમુખ પટેલે ટવીટ કરી જણાવ્યું હતું કે ભરાયેલા ફોર્મની ચકાસણી ચાલુ છે અને જે ઉમેદવારને ફી ભરવાની બાકી છે તે છેલ્લી તારીખની રાહ જોયા વગર આજે જ ફી ભરી દે.

કનફોર્મ થયેલ તમામ ઉમેદવાર માટે આગામી 1 થી 10 ડિસેમ્બર સુધીમાં પ્રથમ ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે અને બાદમાં લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે, ગૃહ વિભાગના 100 દિવસમાં 27 હજારથી વધુ જગ્યાની ભરતી પ્રક્રિયા શરૂ કરવાના લક્ષ્યાંક બાદ ગુજરાત પોલીસમાં એલઆરડી (લોકરક્ષક દળ)ની 10,459 જગ્યાની ભરતી જાહેર કરી હતી.સોમવારે રાતે 12 વાગ્યે ફોર્મ ભરવાનું બંધ થયું હતુ. એલ.આર.ડી ની 10,459 જગ્યાઓ સામે 11 લાખ કરતા પણ વધુ ફોર્મ ભરાયા છે.

અરજીની અંતિમ તારીખે 86,188 અરજી આવી હતી.જેમાંથી 6,91,190 પુરુષ જ્યારે 2,54,338 મહિલા ઉમેદવાર મળી કુલ 9,46,528 ઉમેદવારોની અરજી કનફોર્મ થઈ છે. ફી સ્વિકારવાની છેલ્લી તારીખ 12 નવેમ્બર નક્કી કરાઈ છે.

લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે. જેમાં મહિલાઓ માટે એસઆરપી સિવાયની બંને કેટેગરીમાં મળીને 1983 જગ્યા અનામત રખાઇ છે.લોક રક્ષક દળની 2 મહિના સુધી ભરતી પ્રક્રિયા ચાલુ રહેશે. 10 ફેબ્રુઆરી સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે. માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં લેખિત પરીક્ષા લેવાશે જયારે કે 20 નવેમ્બર આસપાસ કોલ લેટર ઇસ્યું કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સરકારે તમામ ભરતીઓ માટેની મહત્તમ વય મર્યાદામાં એક વર્ષનો વધારો કરવાનો નિર્ણય લીધો હોવાથી આ ભરતી માટે મહત્તમ વય મર્યાદા 34 વર્ષ રાખી છે. ફિઝિકલ ટેસ્ટમાં પાસ થનારા ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશે. સમગ્ર માહિતી ભરતી બોર્ડનાં અધ્યક્ષ હસમુખ પટેલે ટવીટ કરી આપી હતી.

આ સમાચારને શેર કરો