Placeholder canvas

મોરબી જીલ્લામાં કોરોનાથી વધુ એક મોત, આજે નવા ૫૩ કેસ નોંધાયા

મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે વધુ એક દર્દીનું મોત થયું છે અને ત્રીજી લહેરમાં બીજું મોત નોંધાયું છે આજે જીલ્લામાં નવા ૫૩ કેસ નોંધાયા છે તો ૧૬૬ દર્દીઓ સ્વસ્થ થયા છે

આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૪૪ કેસ જેમાં ૧૯ ગ્રામ્ય અને ૨૫ શહેરી વિસ્તારમાં, વાંકાનેર તાલુકાના ૦૨ કેસ, હળવદ તાલુકાનો ૦૧ કેસ, ટંકારા તાલુકાના ૦૪ કેસ અને માળિયા તાલુકાના ૦૨ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૫૩ કેસ નોંધાયા છે તો ૧૬૬ દર્દીઓ સ્વસ્થ થયા છે જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ઘટીને ૬૯૧ થયો છે

આજે મોરબી શહેરી વિસ્તારમાં એક ૭૯ વર્ષના વૃધ્ધાનું મોત થયું છે જે દર્દીને કોરોના ઉપરાંત બીપી (હાઈપર ટેન્શન) અને ડાયાબીટીસ જેવી બીમારી હતી અને દર્દીએ કોરોના રસીનો એકપણ ડોઝ લીધો ના હતો

આ સમાચારને શેર કરો