Placeholder canvas

મોરબી જીલ્લામાં કોરોનાના આજે નવા ૯૪ કેસ નોંધાયા, ૧૨૦ દર્દીઓ સ્વસ્થ થયા

એક્ટીવ કેસનો આંક ઘટીને ૮૦૫ થયો

મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આજે જીલ્લામાં ૯૪ નવા કેસો નોંધાયા છે જેની સામે ૧૨૦ દર્દીઓ સ્વસ્થ થતા એક્ટીવ કેસનો આંક ઘટીને ૮૦૫ થયો છે

આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૬૯ કેસો જેમાં ૨૨ ગ્રામ્ય અને ૪૭ શહેરી વિસ્તારમાં, વાંકાનેર તાલુકાના ૦૭ કેસો જેમાં ૦૪ ગ્રામ્ય અને ૦૩ શહેરી વિસ્તારમાં, હળવદ તાલુકાના ૦૪ કેસો, ટંકારા અને માળિયા તાલુકાના ૦૭-૦૭ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૯૪ કેસ નોંધાયા છે આજે વધુ ૧૨૦ દર્દીઓ સ્વસ્થ થયા છે જેથી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૮૦૫ થયો છે.

આ સમાચારને શેર કરો