Placeholder canvas

મોરબી જિલ્લાના 3 PSIની આંતરિક બદલી: વાઢીયા વાંકાનેર તાલુકામાં મુકાયા

મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડાએ આજે જિલ્લાના ત્રણ પીએસઆઈની આંતરિક બદલીના હુકમો કર્યા છે. જેમની સાથે એક લીવ ઓન રિઝર્વ પીએસઆઈને પોસ્ટીંગ આપ્યું છે. ઉપરાંત એક પીઆઇને વધારાનો ચાર્જ પણ સોપવામા આવ્યો છે.

મોરબીના એસપી ડો. કરણરાજ વાઘેલા દ્વારા આજે 3 પીએસઆઈની બદલી કરવામાં આવી છે. જેમાં મોરબી તાલુકાના ફરજ બજાવતા એ.વી.ગોંડલીયાને ટંકારામાં, એ ડિવિઝનમાં ફરજ બજાવતા એલ.એન.વાઢીયાને વાંકાનેર તાલુકામાં,બી ડિવિઝનમાં ફરજ બજાવતા આર.સી. રામાનુજની હળવદ પોલીસ મથકમાં બદલી કરાઈ છે. આ સાથે લિવ ઓન રિઝર્વમાં રહેલા પીએસઆઈ એમ.પી. સોનારાને બી ડિવિઝનમાં મુકવામાં આવ્યા છે.

મોરબી સીટી એ ડિવિઝન પીઆઈ આર.જે. ચૌધરીની અમદાવાદ ખાતે બદલી થઈ જતાં એ ડિવિઝન પીઆઈનો ચાર્જ એસઓજી પીઆઈ જે.એમ. આલને સોપવામાં આવ્યો છે.

આ સમાચારને શેર કરો