Placeholder canvas

વાંકાનેર : સીંધાવદર ગામમાં જુગાર રમતા ૩  ઝડપાયા

વાંકાનેર તાલુકાના સીંધાવદર ગામે સરાજાહેર તીનપત્તીનો જુગાર રમતા ૩ શખ્સોની વાંકાનેર તાલુકા પોલીસે ધરપકડ કરી હતી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસને સીંધાવદર ગામે પેટ્રોલિગમાં હતી. એ સમયે  આરોપી જીતેશભાઇ નાનજીભાઇ દલસાણીયા,નીતેષભાઇ રવજીભાઇ સોલંકી અને દીનેશ ઉર્ફે દીલો સોમાભાઇ વીરસોડીયા જાહેરમાં ગેરકાયદેસર રીતે ગંજીપત્તાના પાના અને પૈસાવતી પૈસાની હારજીતનો તીનપત્તી રોન પોલીસનો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે ગજીપતાના પાના નંગ-૫ર તથા રોકડા રૂ.૬૭૦૦/- ના મુદામાલ સાથે તમામની ધરપકડ કરીને જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો