મોરબી જિલ્લામાં આજે કોરોના 22 કેસ નોંધાયા,સાથે આજે 9 દર્દી થયા ડિસચાર્જ
આજે મોરબી તાલુકામાં 17, વાંકાનેર તાલુકામાં 4, હળવદ તાલુકામાં 1 કેસ નોંધાયા, જ્યારે ટંકારા અને માળિયા તાલુકામાં આજે એક પણ કેસ નોંધાયા નથી.
મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 6 ડિસેમ્બરે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 895 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 22 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.
આજના નવા પોઝિટિવ કેસ
- મોરબી સીટી : 05
- મોરબી ગ્રામ્ય : 12
- વાંકાનેર સીટી : 03
- વાંકાનેર ગ્રામ્ય : 01
- હળવદ સીટી : 01
- હળવદ ગ્રામ્ય : 00
- ટંકારા સીટી : 00
- ટંકારા ગ્રામ્ય : 00
- માળીયા સીટી : 00
- માળીયા ગ્રામ્ય : 00
- આજના જિલ્લાના કુલ નવા કેસ : 22
આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત
- મોરબી તાલુકામાં : 05
- વાંકાનેર તાલુકામાં : 01
- હળવદ તાલુકામાં : 03
- ટંકારા તાલુકામાં : 00
- માળીયા તાલુકામાં : 00
- આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 09
મોરબી જિલ્લામાં આજે પણ વધુ ચાર કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે પણ સત્તાવાર એક પણ કોવિડ ડેથ જાહેર કરાયુ નથી.