Placeholder canvas

મોરબી: રફાળિયા નજીક ટ્રેનની હડફેટે 2 આશાસ્પદ યુવાનોના મોત.

મોરબીના રફાલિયા નજીક ટ્રેનની હડફેટે બે યુવાનોના મોત થયાની માહિતી મળતાં જ આસપાસના લોકો દોડી ગયા હતા. પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસની ટીમ પણ સ્થળ પર દોડી જઇને મૃતદેહને પી.એમ માટે ખસેડવામાં આવ્યો છે.

મળેલી માહિતી મુજબ મોરબીમાં રફાલીયા નજીક રાત્રીના ટ્રેનની હડફેટે બે યુવાનોના આવી ગયા હોવાની માહિતી મળતાં જ આસપાસના લોકો દોડી ગયા હતા. પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસની ટીમ દોડી જઇને મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ માટે ખસેડવામાં આવ્યા હતા. તો મૃતકના પરિવારજનો પાસેથી માહિતી મળી હતી કે મૃતક યુવાનો સચિન હિતેશભાઈ ચૌહાણ ઉં.વ.17 અને મેહુલ મનસુખભાઈ મકવાણા ઉં.વ.18 હોવાનું જણાવ્યું હતું. સચિને થોડા સમય પહેલા ધોરણ 12ની પરીક્ષા આપી હતી અને બુધવારના રોજ નોકરી પર જવાનું નક્કી કર્યું હોય અને તેનો મિત્ર મેહુલ પણ સાથે કામે જવાના નીકળ્યા હતા. તો કોઈ કારખાનામાં ગયા હતા ગુરુવાર રાત્રીના ઘરેથી કામે જવાનું કહી નીકળ્યા બાદ માઠાં સમાચાર મળતાં પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે.

આ સમાચારને શેર કરો