Placeholder canvas

વાંકાનેર :’તું અમારા વિરુદ્ધ ફરિયાદ કેમ કરે છે? કહી ૨ શખ્સોનો શ્રમિક પર હુમલો

વાંકાનેરમાં જીનપરા જકાતનાકા પાસે ‘તું અમારા વિરુદ્ધ ફરિયાદ આપે છે’  તેમ કહી ૨ શખ્સોએ શ્રમિક પર હુમલો કરતા ભોગ બનનાર શ્રમીકે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.

આ અંગે મજૂરી કામ કરતા પીડિત ઇનાયતભાઇ અયુબભાઇ પીંપરવાડીયાએ આરોપી જાકીરમહમદ અને નુરમામદ મકવાણા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, તેઓ જીનપરા જકાતનાકા પાસે તેમના મિત્રો સાથે ચા પી રહ્યા હતા. એ સમયે બન્ને આરોપીઓ રીક્ષામાં તેમના તરફ ધસી આવ્યા હતા. બન્ને હાથમાં લાકડી અને છરી જેવા શાસ્ત્રોને નિહાળીને ઇનાયતભાઇ ત્યાંથી નાસી ગયા હતા અને જકાતનાકા પાસે ને.હાઇવે રોડની બાજુ ના સર્વિસ રોડપર રેલ્વે નાલા નીચે પહોંચ્યા હતા, ત્યાં પણ બન્ને ઈસમો પહોંચી ગયા હતા અને ‘તું અમારા વિરુદ્ધ ફરિયાદ આપે છે’  તેમ કહી છરી વતી ઇજા કરી ધોકાવડે મુંઢમાર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ હુમલામાં ઇનાયતભાઇ ઇજા પહોંચી હતી.

આ ફરિયાદીના આધારે પોલીસે આઇ.પી.સી.કલમ-૩૨૩, ૩૨૪,૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પીએકટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો