Placeholder canvas

માળિયાના હરિપર પાસે થયેલ અકસ્માતમાં સારવાર દરમ્યાન વધુ 2 ના મોત.

મોરબી : ગઈ કાલ વહેલી સવારે માળિયાના હરિપર પાસે છોટા હાથી અને લકઝરી બસ વચ્ચે અકસ્માત થયો હતો.જેમાં છોટા હાથીમાં સવાર 10 લોકોને ઇજા પહોંચી હતી જેમાં ઘટના સ્થળે બેના મોત થયા હતા અને જેમાંથી સારવાર દરમ્યાન વધુ 2 લોકોના મોત થતા મૃત્યુ આંક ચાર પર પહોંચ્યો છે

જેતપુર તાલુકાના પીઠડીયા ગામના છોટા હાથીમાં સવાર મુસાફરો કચ્છમાં માતાના અને મોગલધામ દર્શન કરવા માટે જતા હતા ત્યારે ગઈ કાલે સવારે 6 વાગ્યે માળિયાના હરીપર પાસે ખાનગી બસ સાથે અકસ્માત થયો હતો. જેમાં કુલ10 લોકોને ઇજા પોહચી હતી. જેમાંથી બે ના ઘટના સ્થળે અને બેના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે

મૃતકોના ના(૧) ચંદાબેન વિપુલભાઇ ગોડલીયા ઉવ.૪૦(૨) નાથીબેન દેવરાજભાઇ પોકીયા ઉ.વ.૬૯ (૩) જીણીબેન છગતભાઇ ગોડલીયા ઉવ.૬૦(૪) છોટાહાથીના ડ્રાઇવર દિપકભાઇ મનુભાઇ ઝીઝુવાડીયા ઉવ.૩૫

આ સમાચારને શેર કરો