Placeholder canvas

વાંકાનેર-મોરબી વચ્ચે 29મી એપ્રિલથી દોડશે 2 ડેમુ ટ્રેન

મોરબી : મોરબી વાંકાનેર વચ્ચે આવ-જા કરનાર તેમજ લાંબા રૂટની ટ્રેન માંથી મોરબી આવવા માટે વાંકાનેર ઉતરીને મોરબી જવા માટે હવે બે સ્પેશિયલ ડેમુ ટ્રેન ચાલુ કરવામાં આવી રહી છે. મુસાફરોને સારી સુવિધા મળશે અને વાંકાનેર થી મોરબી જવાના પ્રાઇવેટ મારા ખજાનામાંથી બચી શકશે.

પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા માટે 29 એપ્રિલ, 2022 થી આગળની સૂચના મળે ત્યાં સુધી વાંકાનેર-મોરબી વચ્ચે દરરોજ 2 ડેમુ સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએ અભિનવ જેફના જણાવ્યા અનુસાર, આ વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

(1) ટ્રેન નંબર 09440 મોરબી-વાંકાનેર ડેમુ સ્પેશિયલ (દૈનિક)
ટ્રેન નંબર 09440 મોરબી-વાંકાનેર સ્પેશિયલ મોરબીથી દરરોજ 20.20 કલાકે ઉપડશે અને તે જ દિવસે 21.05 કલાકે વાંકાનેર પહોંચશે. આ ટ્રેન નજરબાગ, રફાળેશ્વર અને મકનસર સ્ટેશન પર ઉભી રહેશે.

(2) ટ્રેન નંબર 09561 વાંકાનેર-મોરબી ડેમુ સ્પેશિયલ (દૈનિક)
ટ્રેન નંબર 09561 વાંકાનેર-મોરબી સ્પેશિયલ વાંકાનેરથી દરરોજ 22.10 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22.55 કલાકે મોરબી પહોંચશે. આ ટ્રેન મકનસર, રફાળેશ્વર અને નજરબાગ સ્ટેશન પર ઉભી રહેશે.

આ સમાચારને શેર કરો