Placeholder canvas

17મીએ પોલિયો રવિવાર: કોરોના મહામારી બાદ પહેલી વખત બાળકોને પોલિયોના ટીપાં પીવડાવાશે

512 બુથમાં અંદાજે 1.52 લાખ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવાશે

મોરબી : બાળકોને પોલિયો મુક્ત કરાવવા સરકારની પોલિયોના ટીપાં પીવડાવવાની ઝુંબેશ વર્ષોથી ચાલી રહી છે. પણ આ ઝુંબેશને કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું. કોરોના કાળમાં બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવાની કામગીરી સદંતર બંધ હતી. પણ હવે કોરોના ધીમો પડતા બાળકોને ફરી પોલિયોના ટીપા પીવડાવવાનું મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા આરોગ્ય વિભાગે બાળકોને પોલિયો ટીપાં પીવડાવવા માટેની તૈયારીઓ કરી લીધી છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી જે. એમ. કતીરાએ જણાવ્યું હતું કે જાન્યુઆરી મહિનાની 17 તારીખે પોલિયો રવિવાર તરીકે ઉજવણી કરવામાં આવશે. જે માટે આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલી પૂર્વ તૈયારી મુજબ 17 જાન્યુઆરીએ મોરબી જિલ્લાના 1,52,457 બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવશે.

કોરોના કાળ બાદ પ્રથમ વખત આટલા બાળકોને પોલિયોનું રસીકરણ કરાશે. જિલ્લાના 512 જેટલા બુથમાં બાળકોને પોલિયો રસીકરણ માટે આગોતરી વ્યવસ્થા કરવામાં આવી છે. આ બાળકોને પોલિયો રસીકરણ માટે આરોગ્ય વિભાગના 1242 ટીમ, 423 મોબાઈલ યુનિટ, 23 જેટલી ટ્રાંજિસ્ટ યુનિટ અને 190 જેટલા સુપરવાઈઝર સહિતનો સ્ટાફ જોડાશે.

આ સમાચારને શેર કરો