Placeholder canvas

સૌરાષ્ટ્રમાં કોરોનાના નવા 124 પોઝિટીવ કેસ, 91 દર્દી ડિસ્ચાર્જ

રાજકોટ : સૌરાષ્ટ્રમાં કોરોના વેકિસન રસીકરણ સાથે ફરી કોરોના વાયરસ સક્રિય થતા પોઝીટીવ કેસોની સંખ્યા વધવા લાગી છે. રાજકોટ જીલ્લામાં હાલ પોઝીટીવ કેસ સૌરાષ્ટ્રમાં ટોચ પર છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં નવા 124 પોઝીટીવ કેસ સામે 91 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે.

સૌરાષ્ટ્રમાં રાજકોટ જીલ્લામાં 65 શહેર 14 ગ્રામ્ય કુલ 79, ભાવનગર 17 શહેર 2 ગ્રામ્ય કુલ 19, જુનાગઢ 5 શહેર 3 ગ્રામ્ય કુલ 8, જામનગર 4 શહેર 2 ગ્રામ્ય કુલ 6, અમરેલી 4, ગીર સોમનાથ, મોરબી 3-3, સુરેન્દ્રનગર 1 સહીત 124 કેસ નોંધાયા છે.

જયારે રાજકોટ-61, ભાવનગર 7, જુનાગઢ 8, જામનગર 7, અમરેલી 4, મોરબી 3, બોટાદ 1 સહીત 91 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજકોટમાં એક દર્દીનું મોત નોંધાયુ છે. કચ્છમાં નવા 12 કેસ સામે 27 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે. રાજયમાં નવા 675 દર્દીઓ સામે 484 દર્દીઓ સ્વસ્થ થતા રાજયનો રીકવરી રેટ 97.11 ટકા નોંધાયો છે.

આ સમાચારને શેર કરો