Placeholder canvas

વાંકાનેર: સિરામિક ફેકટરીના મજુર કવાટરમાં લાગેલી આગમાં દાઝી ગયેલ 4 શ્રમિકમાંથી 1નું મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલા લેટોજા સિરામિક કારખાનાના લેબરર કવાર્ટરમાં આગ લાગતાં ચાર શ્રમિકો દાઝયા હતા. ચારેય રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં એક શ્રમિકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકામાં માટેલ રોડ ઉપર અમરધામ નજીક આવેલા લેટોજા સિરામિક ફેકટરીના લેબર રૂમમા ગેસ લીકેજના કારણે આગ લાગતાં ઓરડીમાં રહેલા આશિષ સીધા પાલ (ઉ.વ.૨૦), કમલેશ રામકરણ પાલ (ઉ.વ.૩૭), સચિન સમેલા પાલ (ઉ.વ.૧૯) અને પવન કલુ પાલ (ઉ.વ.૧૮) દાઝી જતા તેઓને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમાંથઈ કમલેશ રામકરણ પાલ (ઉ.વ.૩૭) નામના યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજતા વાંકાનેર પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો