વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામમાં સાપ કરડતા શ્રમિકનું મોત
વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામમાં શ્રમિકને સાપ કરડતા મોત થયું હોવાનું સામે આવ્યું છે.
વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામમાં દીયાન પેપરમીલની લેબર કોલોની ખાતે વૈદુ કોડાલુભાઇ રામૈયાભાઇ વામ્યુગડ (ઉ.વ. 44, રહે હાલ રાતાવીરડા દિયાન પેપરમીલ, મુળ રહે ગુડપેળા, ગોદાવરી, વેસ્ટ આંધ્રપ્રદેશ) ગઈકાલે તા. 13ના રોજ રાત્રીના સમયે સુતા હતા. દરમ્યાન તેને સાપ કરડતા બેભાન હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા.
જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઇ તપાસી મૃત જાહેર કર્યા હતા. તેમજ મૃતદેહનુ પી.એમ.રાજકોટ ફોરેન્સીક ખાતે કરવામાં આવ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધ કરી કાર્યવાહી કરી છે.