Placeholder canvas

આજે રાત્રે 9 વાગ્યે વીજ પુરવઠો બંધ થઈ જશે? નીતિન પટેલે આપ્યું નિવેદન

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નાગરિકોને આજે રાત્રે નવ વાગ્યે દીવા પ્રગટાવી વડાપ્રધાન મોદીની અપીલને સફળ બનાવવા અનુરોધ કર્યો

નોવેલ કોરોના વાયરસની મહામારી અને તેના સંક્રમણને અટકાવવા માટે દેશભરમાં લોકડાઉનનો ચુસ્તપણે અમલ થઇ રહ્યો છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને આજે તારીખ ૫મી એપ્રિલ 2020 ના રોજ રાત્રે 9.00 કલાકે દીપ પ્રગટાવી પ્રકાશ રેલાવવાનું આહવાન કર્યું છે તેને સફળ બનાવવા રાજ્યના નાગરિકોને રાજ્ય સરકાર દ્વારા અનુરોધ કરાયો છે. દરમિયાન આ સમયે રાજ્યમાં વીજ પુરવઠો બંધ કરી દેવાશે, કે સ્ટ્રીટ લાઇટ બંધ થઈ જશે તેવી અફવાઓ પ્રસરાઈ રહી હતી જેના અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે ‘નાગરિકોએ આવી અફવાઓથી દોરવવાની જરૂર નથી.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે વડાપ્રધાના આહવાનને સફળ બનાવવા રાજ્યના સૌ નાગરિકોએ પોતાના ઘરની લાઈટો બંધ રાખીને પોતાના ઘરના આંગણામાં કે ફ્લેટની બાલ્કનીમાં રહી યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ જાળવીને દીપ પ્રગટાવે એ જરૂરી છે.

લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરીને સરઘસ કે રેલી સ્વરૂપે બહાર ન નીકળવા પણ નાગરિકોને રાજ્ય સરકાર દ્વારા અપીલ કરાઇ છે.આજે રાત્રીના નવ કલાકથી નવ મિનિટ માટે લાઈટો બંધ કરવા જણાવાયું છે, તે સંદર્ભે દેશમાં એક સાથે લાઈટો બંધ થાય તો ગ્રીડમાં ભંગાણ પડે તેવી સ્થિતિ ન સર્જાય તે માટે પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવનાર છે.

વીજ પુરવઠો યથાવત રહેશે, નાગરિકો અફવાઓથી દૂર રહે

આ સમયે રાજ્યના બધા જ મહાનગરો, નગરોમાં સ્ટ્રીટલાઈટો ચાલુ રહેશે. એ જ રીતે ખેડૂતોને સિંચાઈની સુવિધા પૂરી પાડવા પૂરી પાડવામાં આપવામાં આવતો વીજ પુરવઠો, હોસ્પિટલો, જીવન જરૂરી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓમાં પણ વીજ પુરવઠો યથાવત રહેશે. એટલે નાગરિકોએ ખોટી અફવાઓથી ગેરમાર્ગે દોરાવાની જરૂર નથી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/BpI50rclQ7pKOwanKlNxEj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો