Placeholder canvas

વાંકાનેર: M.B.એજન્સી વાળા નઝુભાઇના પિતા વલીમામદ હાજીસાહેબનું ૮૩ વર્ષની વયે નિધન

વાંકાનેર: આજે વાંકાનેર તાલુકાના મહિકા ગામે માથકીયા વલીમામદ સાજી (હાજીસાહેબ)નું ૮૩ વર્ષની વયે નિધન થયું છે તેમની દફનવિધિ આજે સાંજે ચાર વાગ્યે કરવામાં આવી હતી.

વાંકાનેર નેશનલ હાઈવે પર મુબીન ઓટો એજન્સી અને એમ બી એજન્સી નામે મોટર સાયકલનો શોરૂમ અને વર્કશોપ ધરાવતા નજુભાઈ માથકિયા અને ઈશાભાઈ માથકિયાના પિતા માથકિયા વલીમામદ સાજીભાઈ (હાજીસાહેબ)નું આજે ૮૩ વર્ષની વયે નિધન થયેલ છે. તેમની દફનવિધિ મહીકા ખાતે આજે સાંજે 4:00 કરવામાં આવી હતી.

મર્હુમની જ્યારત બુધવારે સવારે (મર્યાદિત સંખ્યામાં) રાખવામાં આવેલ છે. દિલસોજી મોબાઈલ ઉપર આપવી… નજુભાઈ 9824242425 અને ઇશાભાઇ 9824074363

આ સમાચારને શેર કરો