Placeholder canvas

વાંકાનેર: ખેડૂતની અને ખેતીને લગતી દુકાનો સ્વયંભૂ બંધ,બાકી બધું ખુલ્લુ..!!

જય જગતાત..

વાંકાનેર: આજે ભારત બંધનું એલાન છે ત્યારે વાંકાનેરમાં તેમની અસર અંશતઃ જોવા મળી છે.

વાંકાનેરના દાણાપીઠ વિસ્તારમાં ખેડૂતોની વિવિધ ધંધાની દુકાનો અને ખેતીને લાગતા ધંધાની દુકાનો આવેલી છે. આ વિસ્તારમાં ખેડૂતપુત્રની દુકાનો અને ખેતીને લગતી દુકાનો સ્વંયભુ બંધ જોવા મળી આ વિસ્તારમાં બિનખેડૂત વેપારીની અન્ય ધંધાની દુકાનો ખુલ્લી જોવા મળી…!!

વાંકાનેરના મુખ્ય એવા માર્કેટ ચોકમાં તેમજ મેઇન બજાર અને અન્ય વિસ્તારોમાં મોટા ભાગની દુકાનો ખુલ્લી છે. આજના ખેડૂતોના મુદ્દે ભારત બંધના એલાનમાં બિન ખેડૂતોએ અને ખેતી સિવાયના અન્ય ધંધાર્થીઓએ ટેકો આપ્યો નથી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો….. https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો