Placeholder canvas

હળવદ: જાનમાં આવેલી કાર પલ્ટી મારી જતા બેના મોત : ચારને ઇજા

હળવદ : આજે બપોરના હાઈવે પર આવેલ કવાડિયા ગામના પાટિયા પાસે કાર પલટી મારી જતા તેમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા ધાંગધ્રા તેમજ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા છે.

આ ઘટનાની મળેલ માહિતી મુજબ ધાંગધ્રા તાલુકાના રામપરા ગામેથી ઠાકોર સમાજ જાન લઈ હળવદ તાલુકાના કવાડીયા ગામે આજે આવ્યા હતા ત્યારે બપોરના સમયે જાનૈયાઓ કોઈ કામ અર્થે જે કારમાં વરરાજાને બેસાડીને લાવ્યા હતા. તે જ કાર લઈ હળવદ આવ્યા હતા અને હળવદમાં કામ પતાવી પરત કવાડિયા જઈ રહ્યા હતા ત્યારે કવાડીયા ગામના પાટિયા પાસે કાર આડે પશુ ઉતરતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા અને ચારને ગંભીર ઇજા થઇ હતી…

ઇજા થનાર લોકોને સારવાર માટે ધાંગધ્રા તેમજ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. કવાડીયા ગામ પાસે સર્જાયેલા અકસ્માતમાં ઘટના સ્થળે જ રાજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ઝાલા રહે રામપરા અને પ્રવીણભાઈ ઠાકોરનું મોત નીપજ્યું છે. જ્યારે જયંતીભાઈ જગાભાઈ ઠાકોર અને વિષ્ણુભાઈ ઠાકોર ને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા છે.અને ભગાભાઈ ભીખાભાઈ ઠાકોર અને ચંદુભાઈ ગોવિંદભાઈ ઠાકોરને નાની મોટી ઈજાઓ પહોંચતા તેઓને ધાંગધ્રા સારવાર આપવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો