Placeholder canvas

વાંકાનેર: તિથવા પાસે આવેલ ભંગેશ્વર મહાદેવ તથા ઉમિયા અને મોઢેશ્વરી માતાજીના મંદિરમાં ચોરી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના તિથવા ગામ પાસે આવેલ ત્રણ મંદિરોમાં તસ્કરોએ ત્રાટકીને દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે.

મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામ પાસે આવેલ ભંગેશ્વર મહાદેવ મંદિર, ઉમિયા માતાજીના મંદિર અને મોઢેશ્વરી માતાજીના મંદિરમાંથી તસ્કરોએ દાનપેટી તોડીને રોકડની રકમ ચોરી કરી છે. જો કે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

આ સમાચારને શેર કરો