RMCનાં નવનિયુકત કમીશ્નર અમીત અરોરાનું એનીમલ હેલ્પલાઈન દ્વારા અભિવાદન
રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનનાં નવનિયુકત કમીશ્નર અમીત અરોરાજીને ગૌમાતાની પ્રતિમા, પંચગવ્ય પ્રોડકટસ અર્પણ કરીને એનીમલ વેલફેર બોર્ડનાં મિતલ ખેતાણી, શ્રી કરૂણા ફાઉન્ટેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈનનાં પ્રતિક સંઘાણી, ધીરેન્દ્ર કાનાબાર, શ્રીજી ગૌશાળાનાં રમેશભાઈ ઠકકરે અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે મ્યુનીસીપલ કમીશ્નર અરોરા સાથે પાણી રીચાર્જ અભિયાન, જીવદયા, ગૌસેવા, પર્યાવરણ સંદર્ભે વાર્તાલાપ પણ સૌ અગ્રણીઓએ કર્યો હતો. મ્યુનીસીપલ કમીશ્નર અરોરાએ જીવદયા, ગૌસેવા, માનવતાનાં સત્કાર્યો અંગે શકય તમામ સહયોગ વ્યકિતગત તેમજ મહાનગરપાલિકા લેવલે આપવાની ખાતરી આપી હતી.