Placeholder canvas

રાજકોટ: બિગ બજાર પાછળ એપાર્ટમેન્ટમાં આગ લાગતા નેપાળી પરિવારના બે બાળકોના મોત

રાજકોટઃ શહેરના બિગ બજાર માર્કેટની પાછળ એક એપાર્ટમેન્ટમાં આગ લાગતા નેપાળી પરિવારના બે બાળકોના મોત થતા શોકનો માહોલ જોવા મળી રહ્યાં છે. આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર બિગ બજાર માર્કેટની પાછળ આવેલા સમર્થ એપાર્ટમેન્ટમાં આગ લાગતા નેપાળી પરિવારના બે બાળકોના મોત નિપજ્યા છે. જેમા ત્રણ વર્ષના બાળક આયુષચંદ અને 6 વર્ષની બાળકી શ્રીસ્ટી શેરબહાદુર ચંદનું મોત થયું છે. એપાર્ટમેન્ટના બિલ્ડરે નેપાળી પરિવારને ઇલેક્ટ્રિક રૂમમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. આ દુર્ઘટનાને પગલે એપાર્ટમેન્ટમાં રહેતા તમામ રહેવાસીઓ ભાગી ગયા છે. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો