Placeholder canvas

રાજકોટ: પરપ્રાંતીય 1200 મજૂરોને લઈને પ્રથમ ટ્રેન આજે યુપી જવા રવાના…

આ ૧૨૦૦ જેટલા પરપ્રાંતિયોની ટિકિટનો ખર્ચ રાજકોટ કાનુડામિત્ર મંડળ દ્રારા આપવામાં આવ્યો…..

રાજકોટના જંક્શન રેલવે સ્ટેશન પરથી આજ-રોજ ૧૨૦૦ થી વધું પરપ્રાંતિય મજૂરો ને રાજકોટ જિલ્લા કલેક્ટર રૈમ્યા મોહન અને રાજકોટ ડેપ્યુટી પોલીસ કમિશનર મનોહરસિંહજી જાડેજાની હાજરીમાં તેમના વતન રવાના કરવામાં આવ્યા.

તમામે તમામ મજૂરોના મેડિકલ ચેકઅપ કરવામાં આવેલ તથા સોશિયલ ડિસ્ટન જળવાઈ રહે તે પ્રકારની ટ્રેનમાં વ્યવસ્થા કરી કરવામાં આવિ હતી. આ ૧૨૦૦ જેટલા પરપ્રાંતિયોની ટિકિટનો ખર્ચ રાજકોટ કાનુડામિત્ર મંડળ(શ્રી રાકેશભાઈ રાજદેવ) દ્વારા આપવામાં આવ્યો અને નાસ્તો,પાણીની પણ ફ્રી માં સેવા કરવામાં આવેલ,જે ટિકિટ નો ખર્ચ અંદાજે ૮.૭૦ લાખ થયો છે પ્લસ નાસ્તા પાણીનો ખર્ચ અલગ… આ સંસ્થાને સલામ….

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/KgygZRklRhWC185vchx2KK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો