Placeholder canvas

રાજકોટ: રૈયાધારમાં ૩૦૦ લોકોને આંખમાં ભેદી બળતરા.

રાજકોટ: મુસ્‍લિમ પરિવારના દિકરાની સગાઇના જાગરણ (દાંડીયા રાસ)માં ૧૭૫ મહેમાનો અને અડોશી પડોશીઓને આંખમાં તકલીફ શરૂ થઇ રાતભર પાણી છાંટી છાંટીને સહન કર્યુ,સવારે રિક્ષાઓ ભરી-ભરીને લોકો સારવાર માટે સવિલ હોસ્‍પિટલે પહોંચ્‍યા આંખની હોસ્‍પિટલના તબિબોએ કહ્યું કોઇ સ્‍પષ્‍ટ કારણ સામે આવ્‍યું નથી.

આંખના ટીપા-સારવાર બાદ બળતરામાં રાહત શરૂ થઇ ગઇ કોઇને ગંભીર અસર નથી બળતી આંખો સાથે સંધી પરિવારજનોએ સગાઇ પ્રસંગમાં હાજરી આપી હવામાં ઉડી ૫૦ ધડાકા થાય તેવા ફટાકડા નજીકમાં કોઇએ ફોડયા હતાં તેના ધૂમાડાથી બળતરા થયાની શક્‍યતા વ્યક્ત કરી છે. સારવાર માટે ટોળેટોળા ઉમટી પડતાં સિવિલ હોસ્પિટલની સિક્‍યુરીટી ટીમે ખાસ વ્‍યવસ્‍થા ગોઠવી.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો