Placeholder canvas

રાજકોટ: બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરવાનો પ્રયાસ કારનાર 2 પકડાયા.

રાજકોટ: ૧૫૦ ફૂટ રિંગ રોડ પર ગઈ કાલે રાત્રે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાનો પ્રયાસ બે શખ્સો દ્વારા કરવામાં આવ્યો હતો.

આ બનાવના અનુસંધાને રાજકોટની માલવિયા નગર પોલીસે 2 આરોપીની અટકાયત કરી હતી. અને આરોપીનું પોલીસ દ્વારા જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું તેમજ આરોપી પાસે જાહેરમાં માફી પણ મંગાવી હતી.

પોલીસ બંને આરોપીને ઘટનાસ્થળે લાવીને આમ સરઘસ કાઢીને જાહેરમાં માફી મંગાવતી હોવાના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા હતા અને લોકોના ટોળેટોળા એકઠા થયા હતા.

આ બંને આરોપી સામે ગુનો નોંધીને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો