Placeholder canvas

મોરબી: નહેરુગેઇટ વિસ્તારમાં રહેતા 55 વર્ષના પુરૂષનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

રાજકોટ સિવિલમાં દાખલ કરાયા બાદ આજે રિપોર્ટ પોઝિટિવ આવ્યો

મોરબી : મોરબી જિલ્લામાં મોરબી શહેરમાં સતત બીજા દિવસે કોરનાનો પોઝિટિવ કેસ નોંધાયો છે. ગઈકાલે બે કેસ બાદ આજે નહેરુગેઇટ વિસ્તારમાં રહેતા 55 વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ નેહરુગેઇટ વિસ્તારમાં આવેલી વાજાવાળી શેરીમાં રહેતા 55 વર્ષના રમણિકભાઈ પિત્રોડા નામના વ્યક્તિને ગઈકાલે કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેનો આજે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.

આ કોરોના પોઝિટિવ વ્યક્તિની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી હજુ માલુમ પડેલ નથી. હાલમાં આરોગ્ય સહિતના વિભાગ દ્વારા પોઝિટિવ કેસના રહેણાંક વિસ્તારમાં તકેદારી માટેના પગલાં લેવામાં આવી રહ્યા છે.

આ સમાચારને શેર કરો