Placeholder canvas

વાંકાનેર: ભોરણીયા શેરીના કોરોના સંક્રમિત થયેલા દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ

વાંકાનેરમાં ગયા અઠવાડિયામાં ભોરણીયા શેરીમાં રહેતા અને કોરોના સંક્રમિત થયેલા 61 વર્ષીય આધેડનુ આજે સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે.

મળેલી માહિતી મુજબ આજે વાંકાનેરના પ્રતાપ રોડ ભોરણીયા શેરીના નાકા પાસે રહેતા રેમાનભાઈ ઈબ્રાહીમભાઈ ખલીફા ગયા અઠવાડિયામાં કોરોના સંક્રમિત થયા હતા. તેમને મોરબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું આજે સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે.

વાંકાનેરના આ આધેડના મૃત્યુ સાથે મોરબીમાં કોરોનો મૃત્યુ આંક 25 પર અને વાંકાનેરનો કોરોના મૃત્યુ આંક 6 પર પહોંચ્યો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jq8kxzgbA3lAYVUrRB9OJC

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો