Placeholder canvas

સાંસદ મોહનભાઈનું સીરામીક એસોશીયનને કોરોના દર્દીઓની સેવા માટે 21 લાખનું અનુદાન

મોરબી : કોરોના વાયરસની મહામારી દરમિયાન લોકોની સેવા માટે અનેક ઉદ્યોગપતિઓ અને સામાજિક આગેવાનો આર્થિક ફાળો આપી રહ્યા છે. ત્યારે સાંસદ મોહન કુંડારીયા દ્વારા સીરામીક એસોસીએશનને સેવાકીય પ્રવૃત્તિઓ માટે રૂ. 21 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે.

સંસદસભ્ય મોહનભાઇ કુંડારીયા દ્વારા તેમની એન્ટીક ગ્રેનાઇટો કંપની તરફથી મોરબી સિરામીક એશોસીએસનને તેમની સેવાકીય પ્રવૃત્તિઓ માટે રૂ. 21 લાખની ધનરાશિ અર્પણ કરવામાં આવી છે. આ ધનરાશિનો ઉપયોગ મોરબીવાસીઓ માટે કોરોના માટે ટેસ્ટ, ઓકસીજન બોટલ કે કોરોનાની પરિસ્થિતિમાં કોઈપણ જરૂરિયાત માટે કરવામાં આવશે.

આ સમાચારને શેર કરો