Placeholder canvas

મોરબી: મચ્છુ નદીમાં ઝૂલતા પૂલ નીચેથી લાપતા યુવાનનો મૃતદેહ મળ્યો

મોરબી : મોરબીની મચ્છુ નદીમાંથી ઝૂલતા પૂલ નીચે લાપતા થયેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર બ્રિગ્રેડ વિભાગે લાશ બહાર કાઢીને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી.

આ બનાવની મળેલ માહિતી મુજબ મોરબીના ઝૂલતા પૂલ નીચે સ્વામિનારાયણ મંદિર પાસે મચ્છુ નદીમાં એક યુવાન પડી ગયો હોવાની જાણ થતા ફાયર વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતા. યુવાનનો મૃતદેહને બહાર કાઢીને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

પ્રાથમિક તપાસમાં મૃતક ખીમજીભાઈ ડાયાભાઈ સોલંકી ઉ.વ.40 નામના યુવાન હોવાની ઓળખ મળી છે. આ મૃતક ગઈકાલે લાપતા બની ગયા હતા. બાદમાં આજે સવારે તેમની અહીંથી લાશ મળી આવી હતી. અને ગઈકાલ સાંજથી આજ સવાર સુધી તાપસનો દોર ચાલુ હતો. હાલ તેઓ મચ્છુ નદીમાં પડી જતા ડૂબી જવાથી તેમનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ છે. આ બનાવ આપઘાતનો છે કે કેમ તે અંગે પોલીસે હાલ સઘન તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો