Placeholder canvas

મોરબીના આમરણથી ફડસર જવાના રસ્તે ફસાયેલા છ લોકોનું કરાયું રેસ્ક્યુ

મોરબી તાલુકાના આમરણ થી ફડસરના રસ્તા વચ્ચે વરસાદી પાણી આવી જવાના કારણે છ વ્યક્તિઓ વરસાદી પાણીની વચ્ચે ફસાઈ ગયા હતા જેની જાણ તંત્રને કરવામાં આવતા તંત્ર અને એનડીઆરએફ સ્થળ પર પહોચીને તમામ લોકોને સલામત રીતે પાણીની બહાર કાઢ્યા હતા.

મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો જેમાં મોરબી તાલુકાના આમરણ, ફડસર સહિતના ગ્રામ્ય વિસ્તારની આસપાસમાં ભારે વરસાદ પડવાના કારણે મોટાભાગના કોઝવેમાં વરસાદી પાણી ગરકાવ થયા હતા અને રસ્તા બંધ થઇ ગયા હતા.એવામાં ફડસર થી આમરણ તરફ જવાના રસ્તા પરથી પોસ્ટમેન પોતાનું કામ પૂરું કરીને આમરણ પરત જઈ રહ્યા હતા પરંતુ રસ્તા ઉપર પાણી આવી જવાના કારણે તેઓને ધર્મેશ્વર મહાદેવ મંદિરે રોકાવુ પડ્યું હતું તો રાજકોટ થી જીંજુડા દરગાહે દર્શન કરવા માટે આવી રહેલા એક બાળક સહિત કુલ મળીને પાંચ વ્યક્તિઓ પણ વરસાદી પાણી આવી જવાના કારણે પાણીમાં ફસાઇ ગયા હતા અને તેઓ પણ ધર્મેશ્વર મહાદેવ મંદિર રોકાયા હતા.છ લોકો ફસાયા હોવાની જાણ થતા તાલુકા મામલતદાર ડી.જે.જાડેજા, મોરબી તાલુકા પીએસઆઇ આર.એ.જાડેજા., નાયબ મામલતદારસહિત એનડીઆરએફના જવાનોને ધટના સ્થળે દોડી ગયા હતા અને ૧ કિમી અંદર જઈને છ લોકોને રેસ્ક્યુ કરી પાણી માંથી બહાર કાઢ્યા હતા.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/CdXmaIjnw6R5ScY4jUMqmo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો