Placeholder canvas

મોરબીના અધિક કલેકટર કેતન જોશી અને ડેપ્યુટી ડીડીઓ વસ્યાણીની બદલી

મોરબીમાં અધિક કલેક્ટર તરીકે એન.કે. મુછાર અને ડીઆરડીએ માં એમ.એમ.જોશીને મુકવામાં આવ્યા.

મોરબી : આજે જીએએસ કલાસ-1 કેડરના 79 અધિકારીઓની બદલીનો ઘાણવો ઉતર્યો છે. જેમાં મોરબી જિલ્લાના અધિક કલેકટર કેતન જોશી અને ડે.ડીડીઓ પી.વી. વસ્યાણી ની પણ બદલીનો ઓર્ડર થયો છે.

આજે રાજ્ય સરકારે એકસામટા 79 જીએએસ કલાસ 1 અધિકારીની બદલીના હુકમો કર્યા છે. જેમાં મોરબીના અધિક કલેકટર કેતન જોશીની નવસારી અધિક કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે. તેમની જગ્યાએ મોરબીના નવા અધિક કલેક્ટર તરીકે ગાંધીનગરમાં રેવન્યુ ઇન્સ્પેકશન કમિશનર કચેરીના એન.કે. મુછારને મુકવામાં આવ્યા છે.

આ સાથે નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.વી. વસ્યાણીની ડેપ્યુટી કમિશનર, ઓફિસ ઓફ ધ ડેવલોપમેન્ટ કમિશનર, ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે. આ સાથે ડીઆરડીએના ડિરેકટરના હોદા પર ઇલાબેન ગોહિલ ચાર્જમાં હતા. આ જગ્યાએ જામનગરના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ.એમ. જોશીની નિમણુંક કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો