Placeholder canvas

મોરબી : એપાર્ટમેન્ટના ત્રીજા માળે આગ લાગતા મકાન માલિકનું મોત

મોરબી : મોરબી શહેરના વાવડી રોડ વિસ્તારમાં આવેલી એક સોસાયટીના એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે ભીષણ આગ લાગી હતી. આજે વહેલીસવારે ઘટેલી ઘટનામાં એક વ્યક્તિ જીવતા ભૂંજાઈ ગયા હતા. ફાયર બ્રિગેડે ઘટનાની જાણ થતા જ ત્યાં પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

મોરબી શહેરના વાવડી રોડ વિસ્તારમાં રાધે પાર્ક સોસાયટીના એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે ભીષણ આગ લાગી હતી. જોતજોતામાં આગ એટલી બધી ફેલાઈ ગઈ કે આગામાં મકાન માલિક અશોકભાઈ જીવતા ભૂંજાઈ ગયા હતા. જોકે, ફાયર બ્રિગેડનો બ્રાઉઝર આગ ઓલાવવા માટે પાણી ફેંકી શક્યો નહોતો અને બીજો બમ્બો આવે તે પહેલાં મકાન માલિક અશોકભાઈ વલ્લભભાઇ ભગીરથ ઘરમાં જીવતા ભૂંજાઈ ગયા હતા.

આજની ઘટનામાં સ્થાનિકોનો ફાયર વિભાગ પર આક્ષેપ હતો કે ફાયર સાધનો ચાલતા ન હોવાનના કારણે અશોકભાઇનું મોત નિપજયુ છે. ઘટના બાદમાં મૃતક અશોકભાઈના પાર્થિવ દેહને પીએમ અર્થે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો