Placeholder canvas

હવે ઉછીનાં પૈસા ન આપતા: વાંકાનેરમાં ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરતા 2ને ધીબી નાખ્યા !

વાંકાનેર : વાંકાનેરમાં ઉછીનાં આપેલા પૈસાની ઉઘરાણી કરતા બેને ધીબી નાખ્યા હતા. આ બનાવ અંગે એક યુવાને ચાર શખ્સો સામે માર માર્યાની ફરિયાદ નોંધાવી છે. જેના આધારે વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર જીતેન્દ્રભાઈ રમેશભાઈ ચૌહાણ (ઉં.વ. ૩૨ ધંધો-ડ્રાઈવીંગ, રહે. રાજકોટ, રાષ્ટ્રીય શાળા સ્ટાફ ક્વાર્ટર, યાજ્ઞિક રોડ. મૂળ રહે. ગઢકા, તા.જી. રાજકોટ)એ સંજય પ્રેમજીભાઈ સોલંકી, રાજેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી, સુનિલ રમેશભાઈ સોલંકી, અસ્મિતાબેન સંજયભાઈ સોલંકી (રહે. બધા ખોરાણા, તા.જી. રાજકોટ) સામે ફરિયાદ નોંધાવી છે.

ગત તા. 13ના રોજ વાંકાનેર, આંબેડકરનગરમાં બનેલા આ બનાવમાં ફરિયાદીએ આરોપીને રૂ. 6૦,૦૦૦ ઉછીના આપેલ. જેની ફરિયાદીએ તેના ઘરે જઈ ઉઘરાણી કરતા સારુ ન લાગતા તે રોષના કારણે આરોપીઓ ફરિયાદીના બનેવીના ઘરે આંટો મારવા આવેલ ત્યાં આવી ગાળો બોલી ઢીકાપાટુનો મૂંઢ માર મારી આરોપીઓએ પંચ વડે મૂંઢ માર મારી ચારેય જણાએ ફરીયાદી તથા સાહેદ ઉર્મિલાબેનને ગાળો બોલી મૂંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો