સુભાષબ્રિજથી ચાલો દિલ્હી કુચ શરૂ કરીશું -શંકરસિંહ વાઘેલા
આજે શંકરસિંહ વાઘેલાની પત્રકાર પરિષદ યોજીને ખેડુત આંદોલન અંગે ખાસ માહિતી આપી હતી અને તેમણે આ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી.
આજે શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ યોજીને ખેડૂત આંદોલન અંગે માહિતી આપી હતી જેમાં લોકસભા અને રાજ્યસભામાં વોઇસ વોટથી બિલ પાસ કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો એને રાષ્ટ્રપતિના સહી સિક્કા કરી કાયદાનું સ્વરૂપ આપ્યું છે.
સુભાષબ્રિજથી ચાલો દિલ્હી કુચ શરૂ કરીશું
પંજાબ અને હરિયાણામાં વિરોધ નોંધવાનો શરૂ થયો છે. સરકારની દાનત MSP આપવાના બદલે પુરો કરવાની છે. ખેડૂત ભલે બજારમાં લૂંટાય છે. બીજેપી વિરોધમાં હતી ત્યારે MSPની માગ કરતી હતી. સરકાર અદાણી અને અંબાણીના દબાણમાં આવી છે. 30 જેટલા ખેડૂતો શહિદ થયાં છે અને સરકાર કાયદા અદાણી અંબાણી માટે બનાવી રહી છે. 2014માં અદાણી અને અંબાણીની મહેરબાનીથી ભાજપ સરકાર બની છે. અમદાવાદ પોલીસ કમિશનર મજૂરી માંગી છે. સુભાષબ્રિજથી ચાલો દિલ્હી કુચ શરૂ કરીશું.