Placeholder canvas

પાણી બચતનું લાંબા ગાળાનું આયોજન નહીં કરવામાં આવે તો પૈસા ખર્ચતાઇ પાણી નહી મળે.

ચાલો આજે વિશ્વ જળ દિવસે સંકલ્પ કરીએ કે પાણીની બચત બેંક બનાવીએ જેમ જમીનમાંથી બોર બનાવીને પાણી ખેંચીએ છીએ તેમ પાણી બચાવવાની વ્યવસ્થા કરીએ.

ચાલો આપણે સૌ પાણીની બચત બેંક બનાવીએ જેમ જમીનમાંથી બોર બનાવીને પાણી ખેંચીએ છીએ તેમ પાણી બચાવવામાંથી વ્યવસ્થા કરીએ. તે માટે બંગલાઓમાં નવા બનતા મોટા ફલેટોમાં અગાશી સિવાયની ખુલ્લી જમીનમાં વરસાદનું જે પાણી રોડ ઉપર જાય છે તેને બચાવવા માટે આપણે ગ્રાઉન્ડમાં રીચાર્જ બોર બનાવીને પાણી નીચે ઉતારવાની વ્યવસ્થા ગોઠવીએ. – પાણીનો વિકલ્પ નથી સિવાય કે પાણીની બચત કરીએ

‘જળ એ જ જીવન’ માનવ સાથે પ્રાણી માત્રના અને પર્યાવરણના પણ સહભાગી થઈએ, જીંદગી કે સાથ ભી, – પાણી બચતને લાંબા ગાળાનું આયોજન કરવામાં નહી આવે તો પૈસા ખર્ચતા પણ પાણી નહી મળે.

રાજકોટમાં આજી, ન્યારી અને લાલપરી ત્રણ ત્રણ નદી છે ત્રણ ડેમ છે. પરંતુ વસ્તી વધતા પાણીનો ખૂબ વપરાશ ખૂબ જ વધ્યો છે. આજે સૌની યોજના નર્મદા માતાને સરકારશ્રીએ દરેક જગ્યાએ પહોંચાડવાનો ભગીરથ પ્રયત્ન કર્યો છે પરંતુ કયાં સુધી ? જુના રાજકોટમાં પહેલા ડંકીમાં ૩૫ થી ૪૦ ફૂટે પાણી હતું આજે પાણીના સ્તર નીચે જતા ૮૦૦ થી ૧૯૦૦ ફુટ સુધી બોર કરવા પડે છે. જમીનમાં પાણી ઓછુ થવાથી ગરમીનું પ્રમાણ વધે છે અને પાણીની ઘટ પણ સર્જાય છે આ માટે દરેક ગામ અને શહેરમાં મકાનોમાં અગાસી સીવાય ખુલ્લી જગ્યામાં પાકુ બાંધકામ અને રોડ રસ્તા પાકા થઈ ગયેલ હોવાથી ફળીયાનું પાણી ફલેટ અથવા બંગલાનું સંપૂર્ણ પાણી નીચે ઉતારવા માટે ગ્રાઉન્ડના પાણીને ઉતારવા માટે વધુ નવા બોર રીચાર્જ કરીએ કેમ કે આપણે બધા જ જમીનમાં બોર કરીને પાણી ખેંચીએ છીએ જે તે પાછું આપવા માટે ઘણી મોટી જગ્યા નીચે ખાલી પડી છે. આ માટે ડેમ કે ચેમડેમ કરવા કરતા ખર્ચ પણ ઓછો આવશે, પાણી પણ સુધરશે અને પાણીને ઘર ઘર સુધી પહોચાડવાનો ખર્ચ પણ ઓછો આવશે, આમ કરવાથી શુદ્ધ અને સાત્વીક અને જરૂરી મીનરલ સાથેનું પહેલાની જેમ જ પાણીની બચત થાય તેવું મારું માનવું છે,

હાલમાં જ રાજકોટના તેમજ અમદાવાદના મોટા ગજાના બિલ્ડરોએ આ વ્યવસ્થા પોતાના ૨૦૦ ફલેટની સ્કીમમાં અમલ કરેલ છે, તેવું જાણવા મળેલા છે. બિલ્ડ૨ મિત્રો તેમજ નવા બનતા મકાન ધારકોને વિનંતી કે અગાસીનું પાણી રીચાર્જ બોર કરીએ છીએ તેવી રીતે આપણા ફળીયાનું કે ગાઉન્ડનું પાણી રીચાર્જ થાઈ તે માટે વધુ બોર બનાવીએ.

રાજકોટમાં શેડ બિલ્ડર્સે સીલ્વર હાઈટસ બીલ્ડીંગ ૨૫૦૦૦ વાર જગ્યામાં પ0 થી વધુ ૬ ઈચના અને ૨00 ફૂટ ઉંડા બોર બનાવ્યા છે અને તેને અઢી ફૂટ ઉંડી ચેનલ દ્રારા જોડી દીધા છે જેથી વરસાદનું પાણી સંપૂર્ણપણે જમીનમાં ઉતરે અને આવું જ કાર્ય શહેરના ઘણાબધા બિલ્ડર્સ મિત્રોએ કરેલ છે અમે વિનંતી કરીએ છીએ કે દરેક બીલ્ડર્સ, ફલેટ ધારકો, બંગલા ધાર કો, ટેનામેન્ટ તેમજ કોમર્શીયલ કોમ્પલેક્ષ ધારકો પોતાના કંપાઉન્ડનું પાણી જમીનમાં ઉતરે તે માટે રીચાર્જ બોર કરે. ચાલો આપણે રાષ્ટ્ર, સમાજ, જનતાને શુદ્ધ પાણી આપીએ જે સૌથી સારી અને મોટી એમેનીટીઝ છે.

જમીનમા પાણીનું સ્તર ઉચું આવતા અને વરસાદી ક્ષાર રહિત ચોખ્ખું પાણી મળતા રોગ ઘટશે, પર્યાવરણ સુધરશે, સ્તર ઉચું આવશે, ગરમીનું પ્રમાણ પણ ઘટશે, લાઈટ બીલ ઓછું આવશે તેમજ આજે દરેક પરીવાર ૬૦૦ થી ૧૨૦૦ લીટર પાણી વાપરે છે તેમાંથી ૩૦૦ લીટર પણ જો જમીનમાં ઉતારવામાં આવે તો શુદ્ધ પાણી બોરમાંથી મળશે અને સ્તર ઉચાં આવશે અને પાણીની બચત થશે. સરકાર દ્વારા હાલમાં ડેમ,ચેક ડેમ રીચાર્જ કરવામાં કે નવા કરવામાં સબસીડી ને રાહત આપે છે સાથે સાથે ખેતીમાં પાણી ઓછું વપરાય તે માટે ટંપક સિંચાઈ પર લોન અને સબસીડી આપે છે. તેનો તો લાભ લઈએ. પરંતુ આપણે પણ પાણીની બચત કરીએ. સાથે સાથે સરકારને વિનંતી છે કે ટીપી સ્કીમમાં ૩૫% જમીન કાપી લેવામાં આવે છે તેમા સારા બગીચા, નાના તળાવો અને તેમાં પણ રીચાર્જની વ્યવસ્થા કરવામાં આવે તેવુ કામ થવું જોઈએ. સાથે સાથે સરકારી ઓફીસોમાં પણ આવું આયોજન કરવામાં આવે અને ચાર રસ્તાઓ પર આવા બોર રીચાર્જ કરીને જો પાણીની બચત થાય તો તે માટે સારા એન્જીનીયરનો અભિપ્રાય લઈને કરાવવું જોઈએ કારણ કે પાકા રસ્તાઓમાં પાણી ઉતરતું નથી અને આજે આપણે જોઈએ છે કે રોડ, રસ્તાઓ પાકા થઈ ગયા છે, મકાનોના ફળીયા પણ પાણી જમીનમાં ઉતરવા દેતા નથી તો રીચાર્જ માટેની વ્યવસ્થા સરકારશ્રી, ધાર્મિક સંસ્થાઓ, સામાજીક સંસ્થાઓ, ગ્રામ પંચાયતો, સરપંચશ્રીઓ, શહેરી વિકાસ મંડળો, સ્વૈચ્છીક સંસ્થાઓ અને જન જન આમાં જોડાઈને આ કામ સ્વયંભૂ રીતે ઉપાડી લેવું જોઈએ કારણ કે પાણી સોના માટે છે અને સૌની જરૂરીયાત છે. ખેડૂત મિત્રો આપ ખૂબ જ સરસ કાર્ય અત્યારે કરી રહયાં છો પરંતુ આપણે જેમ બોર અને કૂવા કરી રહયાં છીએ તેવી રીતે જ પાણી બચાવવા માટે ખેત તલાવડી, ચેક ડેમ કે ડેમ બનાવવામાં મદદરૂપ થવું જોઈએ. આપણા વડિલો આટલી બધી સગવડ ન હતી તો પણ વાવ, કૂવા અને તળાવ બનાવતા હતા. દરેક જમીન ધારકો અને ખેડૂતોને નમ્ર વિનંતી કે બિન ખેડવાણ જમીનમાં ચાસ પાડી દેવાથી પાણી જમીનમાં ઉતરશે અને ઓછા ખર્ચે સારું જળસંગ્રહ થશે.

આજે તો આપણને પાણીની બોટલો ૧૫ થી ૨૦ રૂપીયા ખરીદતા મળે છે જે આપણા વડિલોને નદી, તળાવ, વાવ, કૂવા, વિરડા મારફતે પાણી મળતુ હતુ આપણે પાણીની બચત નહી કરીએ તો, આપણા બાળકોને પીવા પૂરતું પણ પાણી નહી મળે ! જુની કહેવતમાં એમ કહેવાય છે કે, પક્ષીઓ આકાશમાં ઉડે છે તેના તરંગો દ્વારા જ પાણીની જળવાઈ છે માટે પશુ-પક્ષીની પણ ખેવના કરીને પાણીની બચત કરવી આપણા માટે ખુબ જ જરૂરી છે.

હાલમાં દરે ક ઘરોમાં સંડાસ-બાથરૂમમાં એસીડ વાપરવામાં આવે છે, કેમીકલથી ધોવામાં આવે છે જેના હિસાબે પાણી બગડે છે અને ગટર દ્રારા આ પાણી ડેમમાં જતા અને તે પાણી ખેતરોમાં વપરાતા લીવર, કેન્સર અને સ્કીનના રોગોની ઉત્પતી થાય છે તો તેના ઉપર બેન મૂકીને જળની શુધ્ધતા સુધારી શકાય આ માટે યોગ્ય પગલા સરકારે લેવા જોઈએ. -રમેશભાઈ ઠક્કર (મો. ૯૯૦૯૯ ૭૧૧૧૬)

આ સમાચારને શેર કરો

Leave a Reply