Placeholder canvas

મોરબી જિલ્લામાં નકલી બિયારણનું વેચાણ અટકાવવા કાન્તિલાલ બાવરવા માંગ

ખેતીવાડી ખાતું પગલાં નહી ભરે તો ગાંધી ચિંધ્યા રાહે લડતની ચીમકી

By Ramesh Thakor (Hadmtiya)
મોરબી : મોરબી જિલ્લામાં નકલી બિયારણનું વેચાણ અટકાવવા બાબતે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે.

ચોમાસું નજીક આવી રહયું છે ત્યારે મોરબી જિલ્લામાં બિયારણના વેપારીઓ દ્વારા નકલી બિયારણનું ગેરકાયદે વેચાણ કરતા એગ્રોધારક/દુકાનદારો પર બાજ નજર રાખી વેપારીઓની તપાસ કરી નકલી બિયારણનું વેચાણ અટકાવવા માટે ખેતીવાડી અધિકારીને આદેશો આપવા રજુઆતમાં વિનંતી કરવામાં આવી છે. તેમજ વધુ પૈસા કમાવવાની લાલચ રાખી નકલી બિયારણ કે જંતુનાશક દવા વેચવાનો ગોરખ ધંધો કરતા હોય તેવા વેપારીઓને સ્વાર્થ વૃત્તિથી ઉપર જઈ જગતના તાતના હિતનો પણ વિચાર કરવા હડમતિયાના સામાજીક કાર્યકર રમેશ ખાખરીયા, લજાઈના ગૌતમભાઈ વામજા, વાંકાનેરના અર્જુનસિંહ વાળા, મોરબીના કાંતિલાલ બાવરવા, ગ્રાહક સુરક્ષાના લાલજીભાઈ મહેતા દ્વારા અપીલ કરવામાં આવી છે.

જો ખેતીવાડી વિભાગ દ્વારા નકલી બિયારણ દવાનું વેચાણ નહીં અટકાવવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે લડત આપવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.

આ સમાચારને શેર કરો