Placeholder canvas

હરિશ્ચંદ્રસિંહ ઝાલાની ચંદ્રપુરના મતદારોને અપીલ ‘જો અમે કામ કર્યા હોય તો આપજો’

વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક પર ભાજપના ઉમેદવાર દક્ષાબા હરિશ્ચંદ્રસિંહ ઝાલા ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે આજે છેલ્લા દિવસે ઉમેદવારના પતિ અને ચંદ્રપુર ગામના સરપંચ હરિશ્ચંદ્રસિંહ ઝાલા ચંદ્રપુર તાલુકા પંચાયતના તમામ મતદારોને અપીલ કરી છે કે ‘જો અમે કામ કર્યા હોય તો મત આપજો’

અત્રે ઉલ્લેખનીય છે કે ચંદ્રપુર ગ્રામપંચાયતમાં હરિશ્ચંદ્રસિંહ ઝાલા સરપંચ પદે ચૂંટાયા બાદ તેઓએ ચંદ્રપુર, ગુલશન અને ભાટીયા સોસાયટીમાં વિકાસના આશરે એક કરોડના કામ કર્યા છે અને હજુ ૩૦ લાખના કામ મંજૂર થયેલા છે જે ટૂંક સમયમાં શરૂ થશે.

હરિશ્ચંદ્રસિંહ ઝાલાએ વધુમાં જણાવ્યું છે કે સરપંચ પદે હું છું ત્યારે જો તાલુકામાં મારા પત્ની ચૂંટાયા આવશે તો આપણને ગામના વિકાસના કામો લઈ આવવામાં ખૂબ અનુકૂળતા રહેશે, જેથી કરીને ચંદ્રપુર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ભાજપના બન્ને ઉમેદવારને મત આપીને વિજય બનાવવાની મારી તમામ મતદારોને નમ્ર અપીલ છે.

આ સમાચારને શેર કરો