Placeholder canvas

ટંકારા તાલુકાના હડમતિયા ગામમાં ગ્રામ પંચાયતના જાહેરનામાનો ત્રીદિવસીય કડક અમલ

ગ્રામપંચાયતના કડક જાહેરનામાંથી લોકડાઉનની યાદ તાજી થઈ

વોટ્સએપથી પહેલા સમાચાર મેળવવા માટે કપ્તાનની ટેલિગ્રામ ચેનલ જોઈટ કરવા નીચેની લિંક પર ક્લીક કરો….. https://t.me/kaptaannews

By રમેશ ઠાકોર -હડમતીયા

ટંકારા તાલુકાનું હડમતિયા ગામ આશરે ૪૦૦૦ હજારની વસ્તી ધરાવતુ ગામ છે. આ ગામમાં પહેલાથી જ જુથવાદ કે જ્ઞાતિવાદને સ્થાન જ નથી તેમ સૌ વર્ણના સાથે હળીમળીને વ્યવ્હારો કરતા આવ્યા છે. હડમતિયા ગામથી આશરે ૧ કિલોમીટર દુર રોડ પર પાલણપીરની જગ્યા આવેલી છે આ જગ્યા “પાલણપીરની મેડી” તરીકે મેઘવાળ તેમજ વણકર સમાજમાં ગુજરાતભરમાં પ્રખ્યાત છે.

અહીં ભાદરવા વદ ૯,૧૦,૧૧, એટલે કે તા. ૧૨/૯/૨૦૨૦ થી ૧૪/૯/૨૦૨૦ સુધી “પાલણપીરની મેડી”એ મેળો ભરાય છે અને આ મેળામાં દુર દુરના રાજ્યોના કે મહાનગરો જેવા કે મુંબઈ, કોલકતા, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા અનેક મહાનગરોના મેઘવાળ તેમજ વણકર સમાજ પોતાની આસ્થા પુરી કરવા આવે છે પણ આ વર્ષે કોરાનાની મહામારીથી કેન્દ્ર- રાજય સરકારની ગાઈડ લાઈનથી હડમતિયા ગ્રામપંચાયતે મેળો રદ કરેલ છે તેમજ આસ્થાના પવિત્ર સ્થળ પર માનતા પુરી કરવા ત્રીદીવસીય લોકો મહાનગરોમાંથી આવતા હોવાથી કોરોનાના સંક્રમણનો ભય ગામ પર વધી જતો હોવાથી ગ્રામપંચાયત દ્વારા ગામની કરિયાણા, પાન પાર્લર, સલુન, ચા-પાણી કે ખાણીપીણીની લારીઓ, શાકભાજીના સ્ટોલ ત્રીદીવસીય બંધ રાખવા જાહેરનામું બહાર પાડ્યુ છે.

આ જાહેરનામાનો તમામ ધંધાર્થીઓએ સંપુર્ણ અમલ કર્યો છે, ફક્ત પંક્ચરના ઘંધાર્થીઓને છુટ આપી છે, જેથી ખેડુતો અને વાહન ચાલકો હેરાન ન થાય સાથે આરોગ્યના સબ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરના કર્મચારીઓ તેમજ આંગણવાડી વર્કર, આશાવર્કરોએ અમુક ઘરની તપાસ કરી માહિતી પુર્ણ પાડી સાવચેત રહેવા અપીલ કરી તેમજ ટંકારા પોલિસના સહયોગથી મેળાની જગ્યા સ્થળે કોઈએ ભેગુ ન થવું તેમજ પોતાની માનતા પુરી કરવા જે વિધી થતી હોય તે પુર્ણ કરી જતું રહેવું તેમજ ગામમાં કોઈ અજાણી વ્યકિતઓએ પ્રવેશ ન કરવી તેની તકેદારીનું પાલન કરવું. આ ત્રીદીવસીય મીની લોકડાઉનનો અમલ સખ્તપણે આપ તસ્વીરમાં જોઈ શકો છો ગામની અંદર પોલિસની સુરક્ષા વિના ઘંધાર્થીઓ ગ્રામપંચાયતના જાહેરનામાનું પાલન કરતી તસ્વીરો સામે આવી છે.જયાં માણસો વિહરતા જોવા મળતા હતા તે જગ્યા પર શ્વાનો આરામ ફરમાવતી તસ્વીર પણ જોવા મળે છે. તે ગામની એકતાનું સ્પષ્ટ ઉદાહરણ પુરુ પાડે છે.ગ્રામપંચાયતના જાહેરનામાનો ધંધાર્થીઓ તેમજ ગ્રામજનોએ પુર્ણ અમલ કરતા સરપંચ રાજાભાઈ માલાભાઈ ચાવડાએ અભિનંદન પાઠવ્યા હતા.


આ સમાચારને શેર કરો