Placeholder canvas

વાંકાનેર: 30 એપ્રિલ સુધી આંશિક લોકડાઉન

સોમવારથી તમામ દુકાનો બપોરે 3 વાગ્યા બાદ બંધ થઈ જશે

વાંકાનેર : કોરોના મહામારીની પરિસ્થિતિ અન્વયે શહેરનાં વિવિધ વેપારી એસોસિએશન દ્વારા આવતી કાલથી 30મી એપ્રિલ સુધી બપોરે ત્રણ વાગ્યા સુધીજ દુકાનો ખુલ્લી રાખવાનો અને ત્રણ વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જાહેર કરવામાં આવેલ વિગત અનુસાર સોમવારથી બપોરે 3 વાગ્યા સુનિલ દુકાનો ખુલ્લી રહેશે અને 3 વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વાંકાનેરમાં આગામી તા. 30 એપ્રિલ સુધી શહેરની તમામ દુકાનો બપોરે 3 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. જેમાં કાપડ, કરિયાણા, કટલેરી, સોની, કંસારા, પાન-મસાલા, મોબાઈલ એસોસિયેશનનાં પ્રમુખ દ્વારા સર્વાનુમતે નિર્ણય લઈ આ તમામ દુકાનો આવતીકાલથી બપોરે 3 વાગ્યાબાદ સજજડ બંધ રાખવામાં આવશે અને આ નિર્ણયનો તમામ વેપારીઓએ ફરજીયાત પાલન કરવાનું રહેશે તેમ એક અખબારી યાદીમાં જણાવેલ છે.

આ સમાચારને શેર કરો