Placeholder canvas

વાંકાનેર: રાતડીયા ગામે વાજપેયજીના જન્મદિવસ પર શ્રદ્ધાસુમન અર્પણ કરતા જીજ્ઞાશાબેન મેર

વાંકાનેર તાલુકાના રાતડીયા ગામના દયારબાગ ખાતે કોળી અગ્રણી જીજ્ઞાશાબેન મેરની આગેવાનીમાં પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી બાજપાઈના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ ગ્રામજનોને નિઃશુલ્ક માસ્ક વિતરણ કરી અટલજીની પૂજા અર્ચના કરી તેમના જીવનકાર્યની અને સરકારશ્રીના ખેડૂતલક્ષી કાર્યક્રમો અને યોજનાઓની માહિતી આપી સમૂહમાં અલ્પાહાર કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં ક્ષત્રિય આગેવાન શ્રી મીઠુંભા વાળા, મુસ્લિમ આગેવાનો શ્રી અબ્દુલ બાદી, નજરુદિન બાદી, પ્રજાપતિ સમાજના આગેવાન ઇશ્વરભાઇ કુંભાર, માલધારી સમાજના આગેવાન શ્રી ગોપાલભાઈ ભરવાડ, ગેલાભાઈ બાંભવા, કોળી સમાજના આગેવાનો શ્રી ભગવાનજીભાઈ મેર, વેરશીભાઈ માલકીયા, ધીરુભાઈ રાઠોડ, દેવશીભાઈ સાપરા, મગનભાઈ સાપરા, રમેશભાઈ રંગપરા, હીરાભાઈ મકવાણા ડાયાભાઈ માલકીયા અને સમસ્ત કોળી સમાજ માંધાતા ગ્રુપના આગેવાનો શાંતાબેન જાંબુકિયા, શૈલેષભાઈ જાંબુકિયા, મુકેશભાઈ ધરજીયા વગેરે આગેવાનો અને ગ્રામજનોએ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવેલ છે. આ કાર્યક્રમ માટે સર્વેએ જીજ્ઞાસાબેન મેરને અભિનંદન આપી સમાજ જાગૃત કરવાના તેમના આ અભિયાનને બિરદાવેલ છે.

આ સમાચારને શેર કરો