Placeholder canvas

વાંકાનેર એસટી ડેપોના કર્મચારીઓએ બહેરી સરકારને અવાજ પહોચાડવા કર્યા સૂત્રોચ્ચાર

By શાહરુખ ચૌહાણ -વાંકાનેર
વાંકાનેર એસટી ડેપોનાકર્મચારીઓએ બહેરી સરકારને અવાજ પહોચાડવા સ્ટાફે કર્યા સૂત્રોચ્ચાર

રાજકોટ વિભાગનાં તમામ ડેપોનાં એસ.ટી. ડ્રાઈવર તેમજ કંડકટર મેકેનિક સ્ટાફ તેમજ એડીએમ સ્ટાફ ભાઇઓ તથા બહેનોએ ચાલુ ફરજ દરમિયાન તા ૨૪ થી કાળી પટી ધારણ કરીને પોતાના પ્રશ્નો નહીં ઉકેલતા આંદોલન શરૂ કર્યું છે.

વાંકાનેર કર્મચારી મંડળના પ્રમુખ જયુ ભા જાડેજાની આગેવાનીમાં વાંકાનેરના કર્મચારીઓ પણ કાળી પટીને ધારણ કરીને જોડાયેલા છે અને હજુ સુધી પ્રશ્ન ન ઉકેલતા આંદોલનને વેગવંતુ બનાવવા માટે તા ૨૭ થી ૧ ઓક્ટોમ્બર સુધી રિસેષ દરમિયાન સૂત્રોચારનો કાર્યક્રમ નક્કી કરવામાં આવેલ છે જેના ભાગરૂપે વાંકાનેર ડેપો પાસે બહેરી સરકાર સુધી તેઓના પ્રાણ પ્રશ્નો પહોચે અને તેનો યોગ્ય નિકાલ આવે તેના માટે બધા કર્મચારીઓએ સૂત્રોચાર કર્યા હતા.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/HlDOtkYyOh370E7yJ7j6CM

આ લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…
જે મિત્રો પહેલા થી જ કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાયેલા છે તેમને આ નવા ગ્રુપમાં જોડાવાની જરૂર નથી

આ સમાચારને શેર કરો